1ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? 

Ans: ઉકાઇ બંધ


2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? 

Ans: હલ્લીસક


3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?                                                                        

Ans: ગાંધી માય ફાધર


4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? 

Ans: લેલાં


5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? 

Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત


6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? 

Ans: જયોતીન્દ્ર હ. દવે


7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા


8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન


9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ


10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? 

Ans: ગુજરાત


11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? 

Ans: દ્વારકા


12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? 

Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો


13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? 

Ans: કવિ ભોજા ભગત


14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે?

 Ans: સરદાર સરોવર


15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે?

 Ans: નવોદય શાળાઓ


16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ?

 Ans: સાબરમતી નદી અને સરસ્વતી


17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ?

 Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ


18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? 

Ans: પ્રીતી સેનગુપ્તા


19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે?

 Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ


20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો?

 Ans: આશાવલ (હાલનું અમદાવાદ)


21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? 

Ans: જામ રણજીતસિંહ


22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? 

Ans: ડાંગ


23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? 

Ans: હિંદ સ્વરાજ


24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?

 Ans: શૂન્ય


25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? 

Ans: શરદ પૂર્ણિમા


26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ?

 Ans: ઉંઝા


27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? 

Ans: બળવંતરાય ક. ઠાકોર


28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? 

Ans: અંશુમાન ગાયકવાડ


29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? 

Ans: ઓખા


30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? 

Ans: સાવરકુંડલા


31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? 

Ans: ઉધઇ


32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? 

Ans: સંત પીપાજી


33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી?

 Ans: મૃત્યુનો ગરબો


34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી?

 Ans: પ્રભાસ પાટણ


35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ?

 Ans: હિંગોળગઢ


36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? 

Ans: ઈન્દુલાલ યાજ્ઞિક


37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે?

 Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ


38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે?

 Ans: મીરાંબાઇ


39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? 

Ans: ધ્યાની દવે


40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? 

Ans: ભુજંગ મંદિર


41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? 

Ans: ડૉ. મધુકર મહેતા


42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? 

Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી


43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? 

Ans: હજીરા


44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો?                  

Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫


45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?

 Ans: દિનેશ ભીલ


46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા


47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? 

Ans: કવિ ભાલણ


48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ કોનું છે? 

Ans: નરસિંહ મહેતા


49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? 

Ans: ઠક્કરબાપા