🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

 ?પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ? 

👉🏾જવાબ: વડોદરા


🔸પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ? 

👉🏾જવાબ: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ


🔸પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી? 

👉🏾જવાબ: સુદામાચરિત્ર


🔸પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇ છે? 

👉🏾જવાબ: ઓખાહરણ


🔸પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ? 

👉🏾જવાબ: સોની 

   

🔸ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં? 

👉🏾જવાબ: ઈ.સ.૧૫૩૭


🔸ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા? 

👉🏾જવાબ: રાસલીલા


🔸ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઇ નગરી વસાવી? 

👉🏾જવાબ: દ્વારિકા


🔸ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ? 

👉🏾જવાબ: રમેશ પારેખ


🔸ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે? 

👉🏾જવાબ: શકિતનીSahit

 

 🔹ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો. 

👉🏾જવાબ: ભદ્રંભદ્ર


🔹ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ - એ ઉદગાર કયા ભકત કવિના છે ? 

👉🏾જવાબ: નરસિંહ મહેતા


🔹ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? 

👉🏾જવાબ: ૧૫મી સદી


🔹ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ? 

👉🏾જવાબ: ઊંઝા


🔹ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈત ઠાકર મૂળ કયાંના વતની હતા ? 

👉🏾જવાબ: સિદ્ધપુર 


   🔸ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે? 

👉🏾જવાબ: ભવૈયા


🔸ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી ? 

👉🏾જવાબ: કાંચળિયા


🔸ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો મહાન વૈભવ ‘દર્શક’ ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે? 

👉🏾જવાબ: આપણો વારસો અને વૈભવ


🔸ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ? 

👉🏾જવાબ: રમણલાલ વ. દેસાઈ


🔸ભાલણે ‘આખ્યાન’ સંજ્ઞા સૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી ? 

👉🏾જવાબ: નળાખ્યાન