▪▫▪▫▪▫▪▫▪

🌐🌐 *કોંગ્રેસ નો જન્મ* 🌐🌐

▪▫▪▫▪▫▪▫▪


⚫ *સ્થાપના* ⚫

➖ ૨૮ ડિસેમ્બર, ૧૮૮૫ બપોરે ૧૨ વાગે


⚫ *સ્થાપક* ⚫ 

➖એલન ઓકટેવિયન હ્યુમ *(એ.ઓ.હ્યુમ)*


⚫ *પ્રથમ અધિવેશન* ⚫

➖ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલય, મુંબઇ. 

➖જે ગુજરાતની સંસ્થા હતી.


⚫ *પ્રથમ અધ્યક્ષ* ⚫

➖વ્યોમેશચંદ્ર બેનરજી


▪▫▪▫▪▫▪▫▪


🎬➖ પ્રથમ અધિવેશનમાં કુલ *૭૨ સભ્યો હાજર* હતા. જેમાં *ગુજરાતના ૧૩ સભ્યો* હતા.


🎬➖ *દાદાભાઈ નવરોજજી*, *સરદિનશાવાચા* , *સર ફિરોજશાહ મહેતા* , *ડૉ.હરિલાલ હર્ષદ ધ્રુવ* , *અંબાલાલ સાકરલાલ* , *ત્રિભુવનદાસ માળવી* , *ત્રિભુવનદાસ ગજ્જર* , *મંચેરશા કેકા બાદ* પ્રતિનિધિઓ અધિવેશનમાં હાજર રહા હતા.


🎬➖ *‘ભારતીય ર્કોગ્રેસ’* નામ હતું.


🎬➖સ્થાપના સમયે *વોઇસરૉયના પદ પર લોર્ડ ડફરીન* હતા.


🔵 *હેતુઓ* 🔵


🗯➖ભારતીયોમાં દેશપ્રેમ , સંપર્ક અને મિત્રતા વધારવી.


🗯➖રાષ્ટીય એકતાની ભાવના માટે પ્રોત્સાહિત કરવા. 


🗯➖શિક્ષિત વર્ગની સંપૂર્ણ સહમતિથી સામાજિક વિષય પર વિચાર કરીને ભારતીય કલ્યાણ માટે કઇ દિશામાં કયા આધાર પર કાર્ય કરવું એ વિચારવું.


🗯➖ *આઝાદી પહેલા ભારતીય રાષ્ટીય કૉંગ્રેસના ૫૬ અધિવેશન થયા હતા.*


🗯➖ *૪ અધિવેશન ગુજરાતમાં* ભરાયા હતા. 


🗯➖ સાતમા અધિવેશનમાં *"રાષ્ટ્રીય"* શબ્દ ઉમેરવામાં આવ્યો હતો ત્યારે પુરૂં નામ *"ભારતીય રાપ્ટ્રીય કોંગ્રેસ"* થયું. 


▪▫▪▫▪▫▪▫▪

🌐 *INC ના મહત્વપૂર્ણ અધિવેશન*

▪▫▪▫▪▫▪▫▪


💥 *૧૮૮૫* 💥

👁‍🗨સ્થાન : *મુંબઇ*

👁‍🗨અધ્યક્ષ : *વ્યોમેશચંદ્ર બેનરજી*

👁‍🗨નોંધ : *૭૨ પ્રતિનિધિ હાજર (૧૩ ગુજરાતી)*


💥 *૧૮૮૬* 💥

👁‍🗨સ્થાન : *કલકત્તા*

👁‍🗨અધ્યક્ષ : *દાદાભાઈ નવરોજી*

👁‍🗨નોંધ : *ગુજરાતના અધ્યક્ષ હતા*


💥 *૧૮૮૭* 💥

👁‍🗨સ્થાન : *મદ્રાસ*

👁‍🗨અધ્યક્ષ : *બદરૃદ્દીન તૈયબજી*

👁‍🗨નોંધ : *પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ અને ગુજરાતી*


💥 *૧૮૯૬* 💥

👁‍🗨સ્થાન : *કલકત્તા*

👁‍🗨અધ્યક્ષ : *રહિંમતુલ્લા સયાની*

👁‍🗨નોંધ : *પહેલી વખત વંદેમાતરમ ગવાયું*


💥 *૧૯૦૬* 💥

👁‍🗨સ્થાન : *કલકત્તા*

👁‍🗨અધ્યક્ષ : *દાદાભાઈ નવરોજી*

👁‍🗨નોંધ : *પહેલી વખત સ્વરાજ શબ્દનો પ્રયોગ*


💥 *૧૯૧૧* 💥

👁‍🗨સ્થાન : *કલકત્તા*

👁‍🗨અધ્યક્ષ : *પં.બિશન નારાયણધર*

👁‍🗨નોંધ : *પહેલી વખત જન..ગન…મણ ગવાયું*


💥 *૧૯૧૭* 💥

👁‍🗨સ્થાન : *કલકત્તા*

👁‍🗨અધ્યક્ષ : *એની બેસન્ટ*

👁‍🗨નોંધ : *પ્રથમ મહિલા અધ્યક્ષ*


💥 *૧૯૨૪* 💥

👁‍🗨સ્થાન : *બેલગાવ*

👁‍🗨અધ્યક્ષ : *મહાત્મા ગાંધી*

👁‍🗨નોંધ : *ગાંધીજી એકમાત્ર વખત કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા*


💥 *૧૯૨૫* 💥

👁‍🗨સ્થાન : *કાનપુર*

👁‍🗨અધ્યક્ષ : *સરોજની નાયડુ*

👁‍🗨નોંધ : *પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ*


💥 *૧૯૨૯* 💥

👁‍🗨સ્થાન : *લાહૌર*

👁‍🗨અધ્યક્ષ : *જવાહરલાલ નહેરુ*

👁‍🗨નોંધ : *પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર*


💥 *૧૯૩૧* 💥

👁‍🗨સ્થાન : *કરાંચી*

👁‍🗨અધ્યક્ષ : *વલ્લભભાઇ પટેલ*

👁‍🗨નોંધ : *મૂળભુત અધિકારોની માંગ* 


💥 *૧૯૩૭* 💥

👁‍🗨સ્થાન : *ફેંજપુર*

👁‍🗨અધ્યક્ષ : *જવાહરલાલ નહેરુ*

👁‍🗨નોંધ : *ગામડામાં આયોજિત પ્રથમ અધિવેશન*


▪▫▪▫▪▫▪▫▪

*ગુજરાતમાં યોજાયેલ ૪ અધિવેશન*

▪▫▪▫▪▫▪▫▪


🔵 *૧૮મું અધિવેશન : અમદાવાદ (૧૯૦૨)* 🔵


📩➖૧૮મું અધિવેશન *અમદાવાદમાં* યોજાયું.

📩➖અધ્યક્ષ : *સુરેન્દ્રનાથ બેનર્જી*

📩➖સ્વાગતાધ્યક્ષ : *અંબાલાલ સાકરલાલ દેસાઇ* 

📩➖મહાસચિવ : *દિનશા વાચા*

📩➖ગોવર્ધનરામ ત્રિપાઠી, મગનભાઈ ચતુરભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞીક ના પિતા કનૈયાલાલ  યાજ્ઞીક વગેરે નેતાઅો એ ભાગ લીધો હતો. 

📩➖ *કનૈયાલાલ મુંનશી સ્વયંસેવક* તરીકે જોડાયા હતા.


▪▫▪▫▪▫▪▫▪


🔵 *૨૩ મું અધિવેશન : સુરત (૧૯૦૭)* 🔵


📩➖અધ્યક્ષ : *રાસબિહારી ઘોષ*

📩➖આ અધિવેશનમાં કોંગ્રેસનું બે ભાગમાં વિભાજન થયું. 


👁‍🗨 *(૧) જહાલવાદી પક્ષ (ઉગ્રવાદી)* 

👁‍🗨 *(૨) મવાળવાદી પક્ષ (નરમવાદી)*


📩➖૨૬ ડિસેમ્બર, ૧૯૦૭ના રોજ *તાપી નદીના કિનારે સુરત ખાતે કોંગ્રેસનું ૨૩ મું અધિવેશન* મળ્યું. 


📩➖સુરત અધિવેશનના *અધ્યક્ષ તરીકે રાસબિહારી ઘોષને નક્કી કર્યાં* હતા. 


📩➖પરંતુ *જહાલવાદીઓ લાલા લજપતરાયને અધ્યક્ષ બનાવવા માંગતા હતા.*


📩➖આથી અધિવેશનમાં ૧૬૦૦ જેટલા પ્રતિનિધિઓ એકબીજા સાથે બોલાચાલી થઇ અને ઉગ્રસ્વરૂપ ધારણ કરી ઝપાઝપી થઇ.


📩➖ત્યારબાદ પોલીસ આવી સભાખંડ ખાલી કરાવ્યો અને ત્યાં જ *અધિવેશનની સમાપ્તિ* થઇ.


📩➖ આ અધિવેશન માં કોંગ્રેસના બે ભાગ પડી ગયા. જેને *કોંગ્રેસનું પ્રથમ વિભાજન* કહે છે. 


◼ *જહાલવાદી પક્ષ* ◼

📩➖પક્ષના પુરસ્કર્તા *લોક્માન્ય બાળ ગંગાઘર ટિળક* હતા. 

📩➖ટિળક ઉપરાંત *લાલ, પાલ અને બાલની ત્રિપુટી* હતા. 

📩➖જહાલવાદી નેતાઓમાં નરમવાદીઓથી નિરાશ થઇને ક્રાંતિકારી વલણ અપનાવ્યું. 


◼ *મવાળવાદી પક્ષ* ◼ 

📩➖ *‘નરમવાદી’ નેતાઓ* આ પક્ષમાં હતા. 

📩➖મુખ્ય નેતા *ગોપાલક્રિષ્ના ગોખલે* હતા. 

📩➖ઉપરાંત ફિરોજશાહ, સુરેન્દ્રનાથ બેનર્જી , રાસબિહારી ઘોષ, મહમદ અલી ઝીણા, અબ્બાસ તૈયબજી, ત્રિભુવનદાસ માળવી વગેરે નેતાઓ હતા.

📩➖બંને પક્ષો જુદા રસ્તાઓ થી *બ્રિટિશ સરકારનો પ્રતિકાર* કરવા લાગ્યા. 

📩➖આ *વિભાજન છેક ઇ.સ.૧૯૧૬ સુધી* રહ્યું.


▪▫▪▫▪▫▪▫▪


🔵 *૩૭ મું અધિવેશન : અમદાવાદ (૧૯૨૧)* 🔵


📩➖અધ્યક્ષ : *અકિમ અજમલ ખા*

📩➖ *સવિનય કાનૂન ભંગની ચળવળ* કરવાનો નિર્ણય લેવાયો. 


▪▫▪▫▪▫▪▫▪


🔵 *૫૨ મું અધિવેશન : હરિપુરા (૧૯૩૮)* 🔵


📩➖અધ્યક્ષ : *સુભાષચંદ્ર બોઝ*

📩➖પંડિત જવાહરલાલ નહેરુની પ્રમુખપણાવાળી *‘રાષ્ટ્રીય યોજના સમિતિ’* ની રચના થઇ.